ચોમાસામાં પૂરની પરિસ્થિતિમાં પાણીના પ્રવાહની ઝડપ અને તીવ્રતા માપવા વેલોસીટી મીટર મુકાશે

હાલ આજવા સહિત શહેરના વિવિધ સ્થળે 15 અર્લી વોર્નિંગ સિસ્ટમ માટે 15 સેન્સર મુકાયેલા છે

MailVadodara.com - Velocity-meters-will-be-installed-to-measure-the-speed-and-intensity-of-water-flow-during-flood-conditions-during-the-monsoon

- 2.52 કરોડના ખર્ચે આજવા સરોવર, કોદર વાયા, ઉજેટી રેડિયલ ગેટ, જોડિયા ગેટ, આસોજ ફીડર, વિશ્વામિત્રી રેડિયલ ગેટ, વિશ્વામિત્રી જુના ગેટ, હાસાપુરા વેસ્ટ વીયર અને મુંઢેલા વેસ્ટ વીયર ખાતે આ વેલોસીટી મીટર મૂકાશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજવા સરોવર સહિત વિવિધ સ્થળે ચોમાસામાં પૂરની સ્થિતિમાં પાણીના પ્રવાહની ઝડપ અને તીવ્રતા કેટલી છે તે માપવા માટે વેલોસીટી મીટર મુકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચોમાસાને ધ્યાનમાં રાખીને આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. 

તાજેતરમાં સ્ટેન્ડિંગ સમિતિ દ્વારા 2.52 કરોડના ખર્ચે આજવા 62 દરવાજા, કોદર વાયા, ઉજેટી રેડિયલ ગેટ, જોડિયા ગેટ, આસોજ ફીડર, વિશ્વામિત્રી રેડિયલ ગેટ, વિશ્વામિત્રી જુના ગેટ, હાસાપુરા વેસ્ટ વીયર અને મુંઢેલા વેસ્ટ વીયર ખાતે આ વેલોસીટી મીટર મૂકવામાં આવનાર છે. આજવા 62 દરવાજા ખાતે બે મીટર મુકાશે. હાલ આજવા સહિત વિવિધ સ્થળે 15 અર્લી વોર્નિંગ સિસ્ટમ માટે 15 સેન્સર મુકેલા છે. આજવા સરોવરના ઉપરવાસમાં પડતાં વરસાદની આવક મુજબ આજવા સરોવ૨ના 62 દ૨વાજા તથા તેના ઉપરવાસમાં આવેલા વિવિધ દ૨વાજા તથા વેસ્ટવીયર ખાતે વરસાદમાં પાણી પ્રવાહની ગતિ કે ફલો માપી શકાય તે મુજબની કોઈ વ્યવસ્થા નથી. 

હાલ સ્થળ પ૨ લગાડેલ લેવલ ગેજની મદદથી મેન્યુલ ગણત્રી કરી પાણીનો પ્રવાહ માપવામાં આવે છે. અગાઉ  આજવા ડેમ તથા સરોવર ખાતેની વિઝીટ દ૨મ્યાન પાણીના પ્રવાહની ગતિ તથા જથ્થો માપવાના સાધનો રાખવા, રીલીફવેલના લેવલ માપવા અર્થે આધુનિક મીકેનાઈઝ્ડ વ્યવસ્થા ક૨વા સૂચવ્યું હતું. વેલોસીટી મીટર મૂકવાથી આજવાથી નદીમાં છોડાતા પાણી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચતા કેટલી વાર લાગશે કેટલી ઝડપથી પાણી છોડાય છે તેનો અંદાજ મેળવીને પુર લક્ષી કામગીરી કરી શકાશે.

Share :

Leave a Comments