હોળી તહેવાર દરમિયાન મુસાફરોની વધતી માગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા-ખાતીપુરા વચ્ચે વિશેષ ભાડે તહેવાર સ્પેશિયલ (સાપ્તાહિક) ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રેન નં. 09103 (વડોદરા-ખાતીપુરા) દર રવિવારે વડોદરાથી રાત્રે 9.35 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે બપોરે 210 કલાકે ખાતીપુરા પહોંચશે. આ સેવા તા.1 માર્ચથી 29 માર્ચ દરમિયાન ઉપલબ્ધ રહેશે.
ટ્રેન નં.09104 (ખાતીપુરા-વડોદરા) દર સોમવારે ખાતીપુરાથી રાત્રે 8.55 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 1130 કલાકે વડોદરા પહોંચશે. આ સેવા તા.2 માર્ચથી 30 માર્ચ સુધી રહેશે.
આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં ગોધરા, દાહોદ, રતલામ, મંદસૌર, નીમચ, ચિત્તૌડગઢ, ભીલવાડા, વિજયનગર, નસીરાબાદ, અજમેર, મદાર, કિશનગઢ અને જયપુર સ્ટેશનો પર રોકાશે.
ટ્રેન નં. 09103 માટેની બુકિંગ આજથી તમામ પીઆરએસ કાઉન્ટરો તેમજ આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થઈ છે.


