તરસાલી ITA કેમ્પસમાં આવતીકાલે 18 જૂને રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

વિવિધ જગ્યા માટે ઈન્ટરવ્યુ લઈને પ્રાથમિક પસંદગી કરીને રોજગારીની તકો આપવામા આવશે

MailVadodara.com - Employment-and-Apprentice-Recruitment-Fair-to-be-held-tomorrow-June-18-at-Tarsali-ITA-Campus

- ભરતી મેળામાં 5થી વધુ નોકરીદાતા દ્વારા ધો.8 પાસ,10 પાસ, 12 પાસ, આઈટીઆઈ, ડીપ્લોમા, ગ્રેજયુએટ લાયકાત ધરાવતા ઉમેદવાર માટે ભરતી પ્રક્રિયા યોજાશે

મોડેલ કરીઅર સેન્ટર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી વડોદરા આઈટીઆઈ ફોર ડીસેબલ, તરસાલી તથા એનસીએસ ડીએ ફોર વુમન વડોદરાના સંયુકત ઉપક્રમે આઈટીઆઈ ફોર ડીસેબલ, આઈટીઆઈ કેમ્પસ, તરસાલી ખાતે સવારે 10 વાગે દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે .

આ ભરતી મેળામાં જેમા 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા (ડીસેબીલીટી) ધરાવતા (100 ટકા પ્રજ્ઞાચક્ષુ (અંધ) સીવાયના) કે જેઓ નોકરીના સ્થળ સુધી સ્વતંત્ર રીતે હલનચલન તેમજ આવજા કરી શકે તેવા 18 થી 35 વર્ષના દિવ્યાંગ ઉમેદવારો ભાગ લઈ શકશે. ભરતી મેળામાં 5થી વધુ નોકરીદાતા દ્વારા ધો.8 પાસ, 10 પાસ ,12 પાસ, આઈટીઆઈ, ડીપ્લોમા, ગ્રેજયુએટ લાયકાત ધરાવતા ઉમેદવાર માટે ભરતી પ્રક્રિયા યોજાશે.

આ ભરતી મેળામાં 100થી વધુ કેશીયર, ઓપરેટર, સેલ્સ એસોસીએટ,બેક ઓફિસ, ટ્રેઈની, પ્રોડકશન, હાઉસ કીપીંગ, સિકયુરીટી, ગાર્ડનીંગ, પેકર, શોર્ટર, હેલ્પર જેવી વિવિધ જગ્યા માટે ઈન્ટરવ્યુ લઈને પ્રાથમિક પસંદગી કરીને રોજગારીની તકો આપવામા આવશે. ભરતી મેળા સાથે દિવ્યાંગ ઉમેદવારોને સ્વરોજગાર, ઉદ્યોગ સાહસિકતા અંગે તેમજ રોજગારલક્ષી ફ્રી વોકેશનલ કોર્ષ તાલીમ, દિવ્યાંગજન માટેની લોન સહાય યોજના અંગે વિનામૂલ્યે માર્ગદર્શન આપવામા આવશે તેમજ રોજગારલક્ષી અનુબંધમ પોર્ટલ એનસીએસ પોર્ટલ પર ઓનલાઈન રોજગારી શોધવા માટે નામ નોંધણી કરવામા આવશે.

રોજગાર ભરતી મેલા અને સ્વરોજગાર માર્ગદર્શન માટે રસ ધરાવતા ઉપર જણાવેલ પ્રકારની દિવ્યાંગતા -ડીસેબીલીટી ધરાવતા ઉમેદવારોએ 5 બાયોડેટાની નકલ તેમજ દિવ્યાંગતા (ડીસેબીલીટી) પ્રમાણપત્ર અને આધારકાર્ડ સાથે સ્વખર્ચે હાજર રહેવા જણાવવામા આવે છે.

Share :

Leave a Comments