રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો તથા ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ ૧૧ નગરપાલિકાઓની પ્રસંગોપાત ખાલી પડેલ ૧૩ બેઠકોની પેટા ચૂંટણીઓ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરેલ છે. ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતા અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની થાય છે.
આ ચૂંટણીઓના પ્રચાર માટે ચોપાનીયા, ભીંતપત્રો, હેન્ડબીલ, ઉમેદવારો/રાજકીય પક્ષો તરફથી ઉમેદવારોની ઓળખ તેમજ અન્ય બાબતો વિવિધ છાપકામ કરાવી પ્રસિધ્ધ કરવામાં આવે છે તથા લોકોમાં વહેંચણી કરવામાં આવે છે. આવા દસ્તાવેજોમાં ઘર્મ, જાતિ, જ્ઞાતિ, કોમ કે ભાષાને આગળ ઘરીને મતદારોને અપીલ કરવા અથવા વિરોધી ઉમેદવારના ચારીત્ર ખંડન કરવા જેવી કોઈ ગેરકાનુની વાંધાજનક બાબત કે લખાણનો સમાવેશ થતો હોય તો સંબંઘિત વ્યકિત સામે આવશ્યક શિક્ષાત્મક કે નિયંત્રક પગલા લેવા જરૂરી જણાતા હોય અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, વડોદરા શ્રી બી. એસ. પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મળેલ સત્તાની રૂએ પોસ્ટર પેમ્ફલેટ છાપકામ બાબતે જાહેરનામા મારફત કેટલાક પ્રતિબંધ્ધ લાદવામાં આવ્યા છે.
જાહેરનામા અનુસાર, કોઇપણ વ્યકિત કે સંસ્થા જેના પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયા ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકશે નહીં અથવા છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકશે નહીં.
કોઇપણ વ્યકિત કે સંસ્થા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી શકશે નહીં કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહીં. સિવાય કે, (એ) તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યક્તિઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય અને (બી) લખાણ છપાયા પછી મદ્રકએ ત્રણ દિવસમાં લખાણની એક નકલ સાથે એકરારપત્રની એક સા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની કચેરીને તથા સબંધિત ચંટણી અધિકારશ્રીની કચેરીને મોકલી હોય આ જોગવાઇ પુરતું, (સી) હાથે નકલો કરવા સિવાય લખાણની વધુ નકલો કાઢવાની કોઇપણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે અને મુદ્રકએ શબ્દના તે પ્રમાણે અર્થ થશે.
ચૂંટણી અંગેના છાપેલા કોઇ ચોપાનીયા કે ભીંતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંકિતમાં મુદ્રક અને પ્રકાશકના પુરા નામ, સરનામા અને ફોન, મોબાઇલ નંબર દર્શાવવાના રહેશે.
મુદ્રકે પ્રકાશક પાસેથી મેળવેલ એકરારપત્ર જોડાણ-ક અને જોડાણ-ખ ના નિયત નમુનામાં છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરી તથા સબંઘિત ચૂંટણી અધિકારશ્રીને રજુ કરવાની રહેશે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર ગણાશે. આ હુકમ જાહેરનામાની તારીખથી તા.૨૮/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.


