તીર્થયાત્રા અને વતન ગયેલા પરિવારોના ઘરમાં કુલ 3.59 લાખની ચોરી, દાગીના-મૂર્તિઓ ચોરી ગયા

વાઘોડિયા રોડ અને તરસાલીમાં તસ્કરોનો તરખાટ, પરિવાર બહારગામ જતા તાળા તોડ્યા

MailVadodara.com - A-total-of-Rs-3-59-lakhs-stolen-from-the-homes-of-families-who-had-gone-on-pilgrimage-and-returned-home

- ધનલક્ષ્મી સોસાયટી અને અશોક પાર્કમાં લાખોની મત્તા પર તસ્કરોનો હાથફેરો

વડોદરાના વાઘોડિયા રોડ બાપોદ જકાતનાકા પાસે ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા પ્રદીપભાઈ સુંદરભાઈ પંચાલ ફ્લોર મિલ ચલાવે છે. ગત 17 મી તારીખે પત્ની અને પુત્ર સાથે મકાનને તાળું મારી તીર્થ સ્થળે દર્શન કરવા ગયા હતા અને 20 મી તારીખે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે દરવાજાનો નકૂચો તૂટેલો હતો. ચોર ટોળકી ઘરમાંથી સોના ચાંદીના દાગીના કિમત રૂપિયા 1.91 લાખના ચોરી ગઈ હતી. જે અંગે બાપોદ તપાસ હાથ ધરી છે.

ચોરીના અનેક બનાવની વિગત એવી છે કે તરસાલી અશોક પાર્કમાં રહેતા શિવેશ અરૂણભાઇ મિશ્રા મકરપુરા જીઆઇડીસીની કંપનીમાં નોકરી કરે છે. ગત 22મી તારીખે રાત્રે 1000 વાગે પરિવાર સાથે તેઓ વતન બિહાર ગયા હતા. બીજે દિવસે સોસાયટીના રહીશે ચોરીની જાણ કરી હતી. બિહારથી પર્વત આવીને તેમણે ચોરી અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી એમાં સોના ચાંદીના દાગીના ભગવાનની મૂર્તિઓ મળી કુલ 1.68 લાખની ચોરી થઈ હોવાનું પોલીસે નોંધ્યું છે.

Share :

Leave a Comments