ગાજરાવાડી ગણપતિ મંદિરથી પાણીની ટાંકી સુધીનો રસ્તો તા.14થી વાહનોની અવરજવર માટે બંધ રહેશે

ઓપન એક્સેવેશન પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી હાથ ધરાશે

MailVadodara.com - The-road-from-Gajrawadi-Ganapati-Temple-to-the-water-tank-will-be-closed-for-vehicular-traffic-from-14th

- ગાજરાવાડી પાણીની ટાંકીથી સુરેશ પંપીંગ તરફનો રસ્તો ઉપયોગમાં લેવા તંત્ર દ્વારા સૂચન

વડોદરા શહેરના દક્ષિણ ઝોન વોર્ડ નં.16માં ગાજરાવાડી ગણપતિ મંદિરથી પાણીની ટાંકી સુધી ઓપન એક્સેવેશન પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી અંગે તા.14 નવેમ્બરથી તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે આ રસ્તો કામગીરી પૂરી થાય ત્યાં સુધી સદંતર બંધ રહેશે. જેના વિકલ્પ રૂપે ગાજરાવાડી પાણીની ટાંકીથી સુરેશ પંપીંગ તરફનો રસ્તો ઉપયોગમાં લેવા પાલિકા તંત્ર દ્વારા સૂચન કરાયું છે. 

ઉલ્લેખનીય છે કે શહેરના દક્ષિણ ઝોન વોર્ડ નં.16માં ગાજરાવાડી ગણપતિ મંદિરથી પાણીની ટાંકી સુધી ઓપન એક્સેવેશન પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી તા.14, નવેમ્બરથી 100 મીટર લંબાઈમાં નાખવાની છે. આ અંગે તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે તેમજ અવરજવર માટે આ રસ્તો કામ પૂર્ણ થતા સુધી સદંતર બંધ રહેશે. પરિણામે વિકલ્પરૂપે ગાજરાવાડી પાણીની ટાંકીથી સુએજ પંપીંગ સ્ટેશન તરફનો ટ્રેક સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા પાલિકા તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રતાપ નગર ડભોઇ રોડ તથા અન્ય વૈકલ્પિક રોડનો ઉપયોગ કરવા પણ જણાવાયું છે.

Share :

Leave a Comments