વડોદરાના તરસાલી રોડ પરના ગીતાંજલિ ડુપ્લેક્સમાં રહેતા સુરજસિંગ લાભસિંગ મહેતા દવાનો ધંધો કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવી છે કે, મારા દીકરા તથા પત્નીને કેનેડા મુકામે પી.આર. તરીકે જવું હોય સોશિયલ મીડિયાથી સર્ચ કરતા હતા.
તે દરમિયાન અમને જાણવા મળ્યું હતું કે, વીક્ટરી ઈમિગ્રેશન એન્ડ એજ્યુકેશન કન્સલ્ટન્ટના નામથી સંગ્રામસિંહ હરીવિલાસસિંહ કુશવાહ (રહે-પ્રેરણા બંગલો, શિવાજી ચોક પાસે, નવા નરોડા, અમદાવાદ) વિઝાનું કામ કરે છે. જેથી અમે વર્ષ 2020માં તેમનો સંપર્ક કર્યો હતો. કેનેડાના પી.આર. કરાવી આપવાના બહાને તેણે અમારી પાસેથી 4.50 લાખ રૂપિયા મેળવી લઈ છેતરપિંડી કરી હતી.


