માંજલપુરમાં દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ કાળું પાણી બતાવી વિરોધ નોંધાવ્યો

મહેશ્વરી નગર-૧ના રહીશોએ કોર્પોરેશન સામે આક્રોશ વ્યક્ત કર્યો

MailVadodara.com - Residents-of-Manjalpur-troubled-by-the-problem-of-contaminated-water-protested-by-showing-black-water

- દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે સ્થાનિક રહીશોએ શુદ્ધ પાણીની માગ કરી

શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ અને વોર્ડ નં. ૧૭માં આવતાં મહેશ્વરી નગર-૧ના રહીશોએ આજે પોતાના વિસ્તારમાં એકત્ર થઈ કાળા, દુર્ગંધયુક્ત પાણીથી ભરેલી ડોલ અને બોટલોનું જાહેર પ્રદર્શન કરી મ્યુનિસિપલ કોર્પોરેશન સામે વિરોધ નોંધાવ્યો હતો.


મહેશ્વરી નગર-૧માં રહેતા સ્થાનિક રહીશોનું કહેવું છે કે, છેલ્લા એક મહિનાથી આ વિસ્તારમાં દૂષિત પાણીની ગંભીર સમસ્યા ઉદભવી છે. અગાઉ ધારાસભ્ય, સ્થાનિક કાઉન્સિલરથી લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં સ્થિતિમાં સુધારો આવ્યો નથી. અધિકારી-પદાધિકારીઓ સ્થળ પર આવી નિરીક્ષણ કરી પાછા ફરી જાય છે, પરંતુ સમસ્યાનો ઉકેલ આવી રહ્યો નથી. દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે રહીશોએ શુદ્ધ પાણીની માગ કરી છે.

Share :

Leave a Comments