રણોલી ગામમાં રહેતો 35 વર્ષીય યુવક સોમવાર રાતથી ગુમ થઈ ગયો હતો. ત્યારે વાસદ બ્રિજ પાસેથી સોમવારે મોડી રાત્રે તેનું બાઈક મળી આવ્યું હતું. જેને પગલે મગંળવારે સવારથી યુવકની શોધખોળ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી નંદેસરી પોલીસે મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી.
રણોલી ગામમાં ડેરીવાળા ફળિયામાં રહેતા 35 વર્ષીય અલ્પેશસિંહ દશરથસિંહ ગોહિલ ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સોમવારે સાંજે તે નોકરી પરથી ઝધડો કરીને નીકળી ગયો હતો. તો બીજી બાજૂ મોડી રાત સુધી અલ્પેશસિંહ ઘર ન પહોંચતા તેના પરિવારે ગુમ થવાની અરજી જવાહરનગર પોલીસ મથકમાં નોંધાવી હતી. જેથી પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી. સોમવારે મોડી રાત્રે વાસદ બ્રિજ પાસેથી અલ્પેશસિંહની બાઈક મળી આવી હતી.
જેથી આ બાબતે નંદેસરી પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી. મંગળવાર સવારથી જ ફાયર લાશ્કરોએ મહિસાગર નદીમાં અલ્પેશની શોધખોળ હાથ ધરી હતી. જ્યાથી તેનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહ કબ્જે લઈને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. નંદેસરી પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી. રણોલી ગામમાં રહેતો 35 વર્ષીય યુવક સોમવાર રાતથી ગુમ થઈ ગયો હતો. ત્યારે વાસદ બ્રિજ પાસેથી સોમવારે મોડી રાત્રે તેનું બાઈક મળી આવ્યું હતું.


