- સાથી કર્મચારીઓએ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાતા તબીબોએ મૃત જાહેર કર્યો
- પરિવારજનોએ કંપનીના સંચાલકો વિરુદ્ધ સેફટીના સાધનોનો અભાવના આક્ષેપો સાથે સુધી યોગ્ય વળતર આપવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહે નહીં સ્વીકારવાની ચીમકી
વડોદરા નજીક ભાયલી ગામની સીમમાં આવેલ ખાનગી કંપનીમાં કર્મચારીને ફાયરની પાઈપનું કટીંગ કરતી વખતે ઇલેક્ટ્રીક કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે પરિવારજનોએ કંપનીના સંચાલકો વિરુદ્ધ સેફટીના સાધનોનો અભાવના આક્ષેપો સાથે સુધી કંપનીના સંચાલકો દ્વારા યોગ્ય વળતર આપવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહે નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હોસ્પિટલના કોલ્ડ રૂમ ખાતે હોબાળો મચાવ્યો હતો.
ભાયલી ગામની સીમમાં આવેલ સેફ ઇન્ડિયા નામની ખાનગી કંપનીમાં પરપ્રાંતીય અને હાલ વડોદરા શહેરમાં રહેતા અમિતકુમાર ચતુર્વેદી (ઉં.35)નો છેલ્લા ત્રણ વર્ષથી વેલ્ડર ફીટર તરીકેની નોકરી કરતો હતો. ગઈકાલ રાત્રે તે ડયુટીના સમયે ફાયર પાઇપનું કટીંગ કરી રહ્યો હતો. તે વખતે તેને ઇલેક્ટ્રીક કરંટ લાગ્યો હતો. જેથી તે બેભાન હાલતમાં ઢળી પડયો હતો. જેથી સાથી કર્મચારીઓ દ્વારા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેને તબિબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહને રવાના કરવા માટેની કાર્યવાહી હાથ ધરતાં પરિવારના સભ્યો રોષે ભરાયા હતા. અને મૃતકના પરિવારને કંપની તરફથી યોગ્ય વળતર અપાવવા માટેની માગણી કરી હતી. કંપની દ્વારા કોઈપણ પ્રકારની સેફટીના સાધનો આપવામાં આવ્યા ન હોવાના આક્ષેપો સાથે હોબાળો મચાવી મૃત દેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે જ્યાં સુધી કંપનીના સંચાલકો દ્વારા મૃતકના પરિવારને યોગ્ય વર્તન આપવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ.