વર્ષ 2001થી 2016 સુધીના ટેકસની ભરપાઈ ન કરનાર 24 જેટલા મોટા વાહનોની હરાજી કરાશે!!

આગામી દિવસોમાં વાહનોની જાહેર હરાજી કરાતા આરટીઓ પરિસરમાં ખુલ્લી જગ્યા થશે

MailVadodara.com - 24-large-vehicles-that-have-not-paid-taxes-from-2001-to-2016-will-be-auctioned

- હરાજી બાદ ટેકસની રકમ વધુ હશે એવા માલિકોની મિલકત પર બોઝો દાખલ કરાશે

વડોદરા પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી ખાતે છેલ્લા ઘણા સમયથી ટેક્સની ભરપાઈ ન કરનાર વાહન ખૂબ જ કપરી સ્થિતિમાં પડેલા છે. જે કચેરીમાં આવેલા કમ્પાઉન્ડમાં જગ્યા તો રોકે છે પરંતુ, સરકારનો ટેક્સ છેલ્લા 20 વર્ષથી ભર્યો નથી. આવા 24 જેટલા મોટા વાહનોની હરાજી અંગેની અપસેટ વેલ્યુ જાહેર કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તેની હરાજી થશે. આ વાહનોમાં વર્ષ 2001થી લઈ વર્ષ 2016 સુધીના વાહનોનો સમાવેશ થાય છે.

વડોદરા RTO વિભાગમાં છેલ્લા 25 વર્ષ જૂના વાહનો કે જેઓ દ્વારા ટેકસની ભરપાઈ કરવામાં આવી નથી. આવા વાહનો સામે RTO વિભાગ સમય સર ટેક્સ ન ભરનાર વાહન જપ્ત કરાયા અને ત્યારબાદ આજ દિન સુધી ટેક્સ ન ભરતા સંબંધિત વિભાગ દ્વારા મિલકત પર બોઝો દાખલ સુધીની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે આવા માલિકોને નોટિસ પણ આપવામાં આવી છે.

આ એવા વાહનો છે કે આરટીઓ વિભાગે ટેકસની ભરપાઈ કરી નથી અને તેઓને જપ્ત કર્યા છે. વર્ષો સુધી વાહન માલિકો આ ટેકસની ભરપાઈ કરતા નથી ત્યારે આ વાહનો એક તો આરટીઓ પરિસરમાં વર્ષોથી જગ્યા રોકી રહ્યા છે, સાથે સરકારના ટેક્સના પૈસા નથી આવતા જેથી તેઓ સામે કાર્યવાહીના ભાગ રૂપે હરાજી કરી તેના ટેકસની રકમ વસૂલવામાં આવશે. ત્યારબાદ પણ જો આ વાહનના ટેકસની રકમ વધુ હશે તો એવા માલિકોની મિલકત પર બોઝો દાખલ કરવામાં આવશે.

વડોદરા આરટીઓ વિભાગ દ્વારા હાલમાં કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં વર્ષ 2001થી લઈ વર્ષ 2016 સુધીના 24 જેટલા વાહનોની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં અપસેટ પ્રાઈઝ 40,000 થી લઈ 2,15,000 સુધી રાખવામાં આવી છે, જેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આગામી દિવસોમાં જો આ વાહનોની જાહેર હરાજી થઈ જશે તો આરટીઓ પરિસરમાં ખુલ્લી જગ્યા થશે અને સરકારના ટેક્સના નાણા પરત મળશે, તો સરકારને પણ બાકી નાણાની રકમ મળે તો બોઝો ઓછો થઈ શકે છે.

Share :

Leave a Comments