વાઘોડિયા રોડ પરની ઇન્દ્રપુરી સોસાયટીના બંધ મકાનમાંથી ૧.૮૦ લાખની મતા ચોરાઇ

ઇન્દ્રપુરી સોસાયટીમાં રહેતા રાઠવા પરિવાર છોટાઉદેપુરના વતન ગયો હતો

MailVadodara.com - Votes-worth-1-80-lakh-stolen-from-a-closed-building-of-Indrapuri-Society-on-Waghodia-Road

- ચોરો બારીની ગ્રીલ કાઢી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના લઇ ગયા

વાઘોડિયા રોડ રંગ વાટિકા પાછળ ઇન્દ્રપુરી સોસાયટીમાં રહેતો અને છોટાઉદેપુર વતનમાં ગયેલા પરિવારના ઘરમાંથી ચોર ટોળકી ૧.૮૦ લાખના સોના-ચાંદીના દાગીના લઇ ગઇ હતી. જે અંગે બાપોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાઘોડિયા રોડ રંગ વાટિકા પાછળ ઇન્દ્રપુરી સોસાયટીમાં રહેતા જગનભાઇ ગુજલાભાઇ રાઠવા મૂળ છોટાઉદેપુરના છે. વડોદરામાં તેઓ પત્ની અને બે ભાણેજ સાથે રહે છે. જમાઇનું અવસાન થતા ગત ૨૫મી એપ્રિલે તેઓ મકાન બંધ કરીને છોટાઉદેપુર ગયા હતા. તેમની દીકરી ગત છઠ્ઠી તારીખે કપડા લેવા માટે ઘરે આવી હતી. તે સમયે ચોરી થઇ નહતી. ગત ૧૪ મી તારીખે સ્કૂલમાંથી એલ.સી. લેવા માટે વડોદરા ઘરે આવ્યા હતા. તે દરમિયાન ચોરીની જાણ થઇ હતી. રસોડાની બારીની ગ્રીલ કાઢીને ચોર ટોળકી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ ૧.૮૦ લાખની મતા ચોરાઇ હતી. 

Share :

Leave a Comments